Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ખેડૂતોને 15 દિવસમાં વીમો નહિ મળે તો કાનૂની કાર્યવાહી કરવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચીમકી

મોરબી પંથકના ખેડૂતોએ ગ્રાહક સુરક્ષામાં માંગી દાદ :પાક્વીમાંની રકમ નહીં મળતા કાનૂની કાર્યવાહી

મોરબી જીલ્લામાં ખેડૂતોને પાકવીમો મળ્યો ના હોય જે અંગે ખેડૂતોએ કંટાળીને ગ્રાહક સુરક્ષા મંડળ પાસે દાદ માંગી હોય જેથી ગ્રાહક સુરક્ષા મંડળે પંદર દિવસમાં પાકવીમો ના મળે તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

   આ અંગે મળતી વિગત મુજબ મોરબી જીલ્લાના ઘૂટું, જેતપર અને આસપાસના ગામોના ખેડૂતોને વર્ષ ૨૦૧૬-૧૭ નો પાકવીમાંની રકમ મળી નથી જે ખેડૂતોએ રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક દ્વારા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઘૂટું (મોરબી) શાખામાંથી વીમો ઉતરાવેલ છે તેવા પચાસથી વધુ ખેડૂતો પાક્વીમાં માટે ધક્કા ખાઈ રહ્યા છે. વીમા કંપની દાદ અઆપ્તા નથી ખેડૂતો અરજી કરે તો ત્રણ મહીને જવાબ આપે છે છતાં પાકવીમો ચુકવાતા નથી

   ખેડૂતોએ વીમાનું પ્રીમીયમ ભર્યું છે તમામ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા છે અને પચાસ ખેડૂતોની લાખોની રકમ બાકી હોય જેથી ખેડૂતોને આગામી પંદર દિવસમાં પાકવીમો નહિ ચૂકવાય તો ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાનૂની કાર્યવાહી કરશે જેની તમામ જવાબદારી બેંક અને વીમા કંપનીની રહેશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે.

(10:49 pm IST)