Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

માધવપુરના ઉંટડીમાં ઝઘડો કરવાની ના પાડતા કોન્સ્ટેબલ ઉપર પથ્થરમારો

પોલીસ વાનના કાચ તોડી નાખ્યા : ૫ પુરૂષો, ૪ સ્ત્રી તથા ૬ અજાણી વ્યકિતઓ સામે પોલીસ ફરજમાં રૂકાવટ તથા જાહેરનામા ભંગનો ગુન્હો

પોરબંદર તા. ૩ : માધવપુરના ઉંટડીમાં જાહેરમાં ઝઘડો કરવાની ના પાડતા માધવપુરના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ રામકુભાઇ ધાધલને પથ્થરો મારીને ઇજા કરી પોલીસ ફરજમાં રૂકાવટ, પોલીસ વાનને નુકસાનનો ગુન્હો, પાંચ પુરૂષો, ૪ સ્ત્રી તથા ૬ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.

માધવપુરના ઉંટડામાં જાહેરમાં ઝઘડો કરનારાને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ રામકુભાઇ ધાધલે ઝઘડો ન કરવાનું કહેતા આરોપીઓ હરી માલદે વાઘેલા, અજીત માલદે, અમૃતબેન હરી, ભૂપતભાઇ ગીગાભાઇ, જેસા ધાના, બીપીન હીરા વાઘેલા, જાદવ ડાયા, માલદે મશરી, નીમુબેન ભૂપત, રૂડીબેન ડાયા, રાંભીબેન જાદવ તેમજ અન્ય ૬ શખ્સો ઉશ્કેરાઇ જઇને પથ્થરમારો કરીને કોન્સ્ટેબલ રોહિતભાઇને ઇજા કરેલ તેમજ પોલીસ વાનના કાચ તોડી નુકસાન તેમજ પોલીસ ફરજમાં રૂકાવટ તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધાયેલ છે.

(1:07 pm IST)