Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જુનાગઢમાં ખરીદી માટે સમય સવારે ૮ થી ૧૨ : બપોર પછી સંપૂર્ણ બંધ કલેકટરનું જાહેરનામુ

જુનાગઢ કલેકટર ડો. સૌરભ પારઘીએ એસપી સૌરભસિંઘ મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા તથા ડીડીઓ પ્રવિણ ચૌધરી અહી તથા સહિતના અધિકારીઓ સાથે મીટીંગ યોજી જાહેરનામું બહાર પાડ્યુ (તસ્વીર- મુકેશ વાઘેલા)

જુનાગઢ તા.૩: જુનાગઢ વહિવટી તંત્ર દ્વારા લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાત  વસ્તુઓની ખરીદી સમયમાં ફેરફાર કરાયો છે.

કલેકટર ડો. સૌરભ પારઘીએ જાહેરનામુ બહાર પાડી અનાજ કરીયાણાની દુકાનો ઉપરાંત શાક માર્કેટ  અને ફળની લારી અને દુકાનો ઉપરાંત શાક  માર્કેટ  આર્યુવેદિક  એલોપેથિક હોમિયોપેથીક દવાના મેડીકલ અને સર્જીકલ સ્ટોર દુધની ડેરીઓ સવારે ૮ થી ૧૨ ખુલ્લી રાખવાની છુટ આપી છે.  તેેમજ ટ્રાન્સપોટર્સને બુકિંગ માટે પોતાની  ઓફિસ સવારે ૮ થી ૧૨ ખુલ્લી રાખવાની છુટ અપાઇ છે અને બપોર પછી સંપુર્ણ બંધ રહેશે.(

(1:04 pm IST)