Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કર્મકાંડી ભૂદેવો માટે સહાય જાહેર કરોઃ રજુઆત

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા મુખ્ય મંત્રીને પત્ર પાઠવ્યો

જૂનાગઢ તા. ૨ ગુજરાતમાં વસતા કર્મકાંડી ભૂદેવો તથા મંદિર અને હવેલીઓમાં સેવા-પૂજા કરી રહેલા ભૂદેવો માટે સરકાર દ્વારા કોઈ ખાસ રાહત પેકેજ આપવામાં આવે તેવી જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા માંગ ઉઠવા પામી છે.

 આ અંગે જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના જયદેવ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ ઉપાધ્યાય, મહામંત્રી મનીષભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ભરાડે જૂનાગઢના ધારાસભ્ય તથા કલેકટર મારફત રાજયના મુખ્યમંત્રી તથા વિધાનસભાના અધ્યક્ષને એક પત્ર પાઠવી, ગુજરાતમાં કર્મકાંડ અને પૂજા વિધિ કરાવતા ભૂદેવો માટે ખાસ આર્થિક કે અન્ય કોઈ પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરાયેલ માંગને યોગ્ય ગણી, તેમના દ્વારા સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

(1:00 pm IST)