Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જૂનાગઢ માર્કેટયાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૫૦.પપ લાખનું અનુદાન

 જૂનાગઢ તા.૩ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વૈશ્વિક કોરોના મહામારીને પહોચી વળવા સામાજીક જવાબદારીના ભાગરૂપે યાર્ડના બોર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૫૦,૫૫,૫૫૫નો ફાળો (અનુદાન) આપવાનો નિર્ણય લેવાયો હતો.

સરકાર હાલ કોરોના સંક્રમણ સામે લડે છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સહકારી સંસ્થાઓને સહયોગ આપવા કરેલી અપીલને લઇને આ અનુદાન અપાયાનુ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરા તથા નટુભાઇ પટોળીયાએ જણાવેલ છે

(11:39 am IST)