Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જામકંડોરણામાં દલીત સમાજ દ્વારા આવેદનપત્રઃ

જામકંડોરણાઃ દલિત સમાજ દ્વારા સુપ્રિમ કોર્ટના એસ્ટ્રોસીટી એકટના સુધારા સામેના વિરોધમાં ભાદરાનાકા પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આવેદનપત્ર આપતી વખતે દલિત સમાજના આગેવાનો ખીમજીભાઇ બગડા, જેન્તીભાઇ ચુડાસમા, બાવનજીભાઇ બગડા, કાનજીભાઇ પરમાર સહિતના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં દલિત સમાજના લોકોએ હાજરી આપી હતી. આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:57 am IST)