Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મોરબીમાં મચ્છુ નદીમાં ડૂબી જતા પરબતસિંહ જાડેજાનું મોત

ઉછીના લીધેલ રૂપિયા પરત માંગતા જયદેવ કંસારાએ ઝેરી દવા પીધી

મોરબીના મચ્છુ નદીમાં અકસ્માતે યુવાનનું ડૂબી જવાથી મોત નીપજયું છે. મળતી વિગત મુજબ મોરબીના વિસીપરામાં રેહતા પરબતસિંહ જાડેજા (ઉ.વ.૩૫ ) વાળા મોરબીના વિસીપરામાં આવેલ કેશવાનંદ આશ્રમ પાછળ આવેલ મચ્છુઙ્ગઙ્ગનદીના વહેણ પાસે નાહવા માટે ગયા હતા ઙ્ગત્યારે કોઈ કારણોસર તેમાં તે તેમાં તણાઈ જતા આ વાતની જાણ થતા મોરબીની ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને લગભગ ૫ કલાકની જેહમત બાદ નદીમાં પડેલા યુવાનનો મૃતદેહ મળ્યો હતો જઇને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં તેના પરિવાર લોક તેમજ રાજપૂત સમાજના લોકો દોડી આવ્યા હતા અને અકસમાંતે યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.

બીજા બનાવમાં મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા જયદેવભાઈ ભરતભાઈ કંસારા (ઉ.૨૫) એ પ્રતિક દસરથભાઈ દાયમા પાસેથીઙ્ગ ઉછીના રૂપિયા લીધેલ હોય જે ૫ માસમાં પરત કરવાના હોય અને જયદેવની પૈસા પરત કરવાની પરિસ્થિતિ ન હોય અને પ્રતિક પૈસા પાછા આપવાનું કહેતો હોય જેથી જયદેવએ ત્રિકોણબાગના પાર્કિંગમાં જઈને ધાસમાં છાટવાનું લીકવીડ તથા ફિનાઈલ પી જતા મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવની નોંધ મોરબી એ ડીવીઝન પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)