Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વાંકાનેરના ગુન્હામાં ૩ વર્ષથી નાસતો ફરતો વનરાજ પકડાયો

મોરબી એસ.ઓ.જી. ટીમે જામનગરમાંથી દબોચી લીધો

મોરબી તા.૩: મોરબી એસ.ઓ.જી. ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગરથી ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં મોરબી એસ.ઓ.જી. ના પી.આઇ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમના નરેન્દ્રસિંહ જાડેજા, ફારૂકભાઇ પટેલ, અનિલભાઇ ભટ્ટ અને ધર્મેન્દ્ર પટેલ સહિતની ટીમને ખાનગી રાહે માહિતી મળી હતીકે વાકાનેર તાલુકા પોલીસ મથકના પશુપ્રતેય ઘટકીપણા ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી વનરાજ ઉર્ફે અલ્તાફ ગેલાભાઇ વરાણીયા (૨૫)મુળ વાકાનેર ના ચંદ્રપુરા અને હાલ જામનગર વાળાને ઝડપી લઇ ને વાંકાનેર તાલુકા પોલીસ સોંપવામાં આવ્યો છે.

(11:40 am IST)