Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ખેડૂતો ઉપર ત્રાસ ગુજારી ભારે કલમો લગાડતા તળાજા પંથકના ૬ ગામો બંધ

છેવટ સુધી લડી લેવા ડો. કનુભાઇ કળસરીયા અને આગેવાનોનો નિર્ધાર

ભાવનગર, તા. ૩ : ભાવનગર જીલ્લાના તળાજા પંથકના તલ્લી, નીચા કોટડા સહિત છ ગામોના ગ્રામ્યજનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના બનાવ બાદ પોલીસે ૩૮ લોકોની ધરપકડ કરી ભારે કલમો લગાડી છે અને લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આજે છ ગામો બંધ રહ્યા હતાં અને લાઠીચાર્જ-ટીયર ગેસને વખોડવામાં આવેલ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ લોકોએ સ્વબચાવમાં પથ્થરમારો કર્યો છે. ડો. કનુભાઇ કળસરીયા સહિતના આગેવાનોને છેવટ સુધી લડી લેવાનું જણાવી રોષ વ્યકત કરેલ છે.

(3:45 pm IST)