Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જેતપુરના ઉદ્યોગપતિ દંપતીના અકસ્‍માત કેસમાં વીમા કંપનીને રૂા. ૪.૭૮ કરોડ ચુકવવા હુકમ કરતી કોર્ટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨: શહેરના અગ્રણી ઉદ્યોગપતી જયશ્રી ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટીંગ વર્કસના ભાગીદાર પ્રફુલભાઇ શંભુભાઇ હીરપરા તેમના પત્‍ની તૃપ્તીબેન  સાથે બહારગામ જતા હતા ત્‍યારે લકઝરી  બસ સાથે અકસ્‍માત થવાથી બંને દંપતીનું મોત નીપજેલ હતું.

જેમાં વિમા કંપની સામે દાવો કરેલ જે રાજકોટના મહે.મોટર એકસીડેન્‍ટ ટ્રીબ્‍યુનલ  કોર્ટમાં કલેઇમ કેસ ચાલી જતા પ્રખર ધારાશાષાી રોહીત વી.પારેખ, સ્‍મીત પારેખ  તમામ દસ્‍તાવેજી પુરાવ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટની આવક અંગેની વિસ્‍તૃત જુબાની ધારદાર દલીલો કરતા નામદાર કોર્ટે વિમા કંપનીને રૂા. ૪.૭૮ કરોડ વ્‍યાજ સહીત ચુકવવા હુકમ કરેલ.

(1:25 pm IST)