Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગોરધનપર ગામે આદર્શ મતદાન મથકની રચના

જામનગર તા. ૧ :  વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને અનેક -કારની વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવામાં આવી છે.  જિલ્લાના ગોરધનપર ગામ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘‘આદર્શ મતદાન મથક''નું નિર્માણ કરવામાં આવ્‍યું છે.  ગોરધનપર ગામના ભૂતકાળના આંકડા તાપસીએ તો, યુવા મતદારોની સંખ્‍યા બહોળા પ્રમાણમાં જોવા મળી છે. વિધાનસભા મત વિસ્‍તાર જામનગર ગ્રામ્‍ય-૭૭માં સમાવિષ્ટ  ગોરધનપર ગામમાં સંસદીય ચૂંટણી-૨૦૧૯માં ૭૬% જેટલું જંગી પ્રમાણમાં મતદાન કરવામાં આવ્‍યું હતું.

 તો, વર્ષ વિધાનસભા ચુંટણી-૨૦૧૭માં ૭૯્રુ જેટલું મતદાન કરવામાં આવ્‍યું હતું. ગોરધનપર ગામની આસપાસની ૭ જેટલી નવી સોસાયટીના લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમજ તેમને મતદાન કરવા માટે બહુ દૂર સુધી જવું ન પડે તે કારણોસર ગોરધનપર ગામની આદર્શ મતદાન મથક તરીકે પસંદગી કરવામાં આવી હતી.

 મતદાન મથક પર એક આકર્ષક સેલ્‍ફી પોઇન્‍ટ પણ ઉપલબ્‍ધ હતું, જેથી લોકો મતદાન કરવા માટે વધુ જાગળત બને. મતદાન મથકની બહાર મતદાર જાગળતિને લગતા વિવિધ સૂત્રો દર્શાવવામાં આવ્‍યા હતા.

(1:21 pm IST)