Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વિરપુર (જલારામ)માં સાંજે તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયાનું બેસણુ

વિરપુર (જલારામ) : સમસ્‍ત ખાંટ રાજપૂત સમાજના અગ્રણી તથા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ અને હાલની ૭૪ જેતપુર - જામકંડોરણા વિધાનસભા ચૂંટણીના ઇન્‍ચાર્જ શ્રી વેલજીભાઇ સરવૈયા (ઉ.વ.૬૪) નું તા. ર૯-ને મંગળવારના રોજ આકસ્‍મીક નિધન થયેલ છે. શ્રી સ્‍વ. વેલજીભાઇ સરવૈયા જનસંઘની ભાજપના નિષ્‍ઠાવાન, પ્રમાણીક અને પાયાના કાર્યકર તેમજ નશાબંધી અને આબકારી ખાતાના ડીરેકટર, રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ડીરેકટર તેમજ જેતપુર તાલુકા ભાજપ મહામંત્રી તરીકે વર્ષોથી જેતપુર તાલુકામાં ભાજપમાં સેવા આપીને સંગઠનને મજબુત બનાવવા મહત્‍વની કામગીરી કરેલ છે. જુનાગઢ અને રાજકોટ જીલ્લામાં ખાંટ રાજપૂત સમાજના અનેક મહત્‍વના સ્‍થાને બિરાજીને સમાજને ઉચ્‍ચતમ પ્રતિષ્‍ઠા અપાવવાની ઉમદા કામગીરી કરેલ છે. વિરપુર ગ્રામ પંચાયતમાં પણ ર૦ વર્ષથી ઉપસરપંચ તરીકે સેવા આપીને વિરપુર (જલારામ) ગામના વિકાસમાં તેમનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યું છે.

સ્‍વ. સવજીભાઇ કોરાટના અને સ્‍વ. વિઠલભાઇ રાદડીયા તેમજ હાલના ધારાસભ્‍ય અને ઉમેદવાર શ્રી જયેશભાઇ રાદડીયાના વિશ્વાસુ સાથીદાર તેમજ જગદીશભાઇ સરવૈયાના નાના ભાઇ કેશુભાઇ સરવૈયા અને ધીરૂભાઇ સરવૈયાના મોટા ભાઇ, અનિલભાઇ સરવૈયાના કાકાશ્રી, નિખીલભાઇ મોરબીયા-રાજકોટ અને સુજીતભાઇ મોરબીયા -જુનાગઢના સસરાનું બેસણુ તા. ર ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાને રેલ્‍વે સ્‍ટેશન રોડ, ચિત્રકુટ ગેસ્‍ટ હાઉસ વિરપુર (જલારામ) ખાતે રાખેલ છે.

(11:33 am IST)