Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વેરાવળ તાલુકાના આજોઠા ગામેથી આહિર અગ્રણી નથુભાઇ સોલંકીના પુત્રની હેલીકોપ્ટર દ્વારા જાન ગયેલ : ગીર સોમનાથ જિલ્લાનો આ પ્રથમ બનાવ

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના આજોઠા ગામે આહિર સમાજના અગ્રણી  નથુભાઈ સોલંકી અને તેમના ભાઈ રામસીંગભાઈના પુત્રો ચેતન અને શૈલેષની જાન હેલીકોપ્ટરમાં ગયેલ જે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વાર હેલીકોપ્ટરમાં  જાન ગયેલ હોવાથી આ વિસ્તારમાં આકર્ષણનુ કેન્દ્ર બનેલ આ બંને પુત્રોના લગ્ન તાલાલા તાલુકાનાં ગાભા અને ઉંમરેઠી ગામે જાન ગયેલ અને હેલીકોપ્ટર ઘૂસ્યા ગામે આવેલ ડી એમ બારડ હાઈસ્કૂલમાં લેન્ડીગ કરવામાં આવેલ અને ત્યાં થી જાન ગયેલ આ હેલીકોપ્ટરમાં જાન આવેલ હોવાથી લોકો જોવાં માટે ઊંમટી પડ્યા હતા. જાન પરત આવ્યા બાદ આજોઠા સીમ શાળાનાં બાળકો અને મેઘપૂર પ્રાથમિક શાળાનાં બાળકો ને હેલીકોપ્ટર જોવા માટે બોલાવેલ અને બાળકોને નથુભાઈ સોલંકી દ્વારા હેલીકોપ્ટર બતાવેલ અને બાળકો ને જમાડી અને પરત મોકલેલ. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

 

(10:20 am IST)