Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વધુ બે દર્દીઓના મોત થયા

દ્વારકા જિલ્લામાં પાંચ નવા કોરોના પોઝીટીવઃ પાંચ ડિસ્ચાર્જ થયા

ખંભાળીયા તા. ર : દ્વારકા જિલ્લામાં ગઇકાલે નવા પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં ભાણવડમાં બે તથા કલ્યાણપુરમાં બે અને ખંભાળિયામાં બે મળી નવા પાંચ નોંધાતા તમામને ખંભાળિયાની સરકારી હોસ્પીટલના કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે. દ્વારકાના બે તથા ખંભાળિયાના ત્રણ એમ કુલ પાંચને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.

ખંભાળિયા શહેરમાં એક, સલાયામાં એક તથા નાનેટા ફળી ભોરીયા તા ભાણવડમાં બે અને કલ્યાણપુરના ભોગાતમાં વિવેકાનંદ સોસાયટીમાં એક કેસ નોંધાયો છે.

દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ તથા બીનકોવીડમાં કુલ ૬૮ ના મૃત્યુ થયા હતા. જે પ૯ ગઇકાલે એક કોવીડ અને એક બીન કોવીડમાં મોત નિપજતા કુલ મૃત્યુ આંક ૭૦ નો થયો છે. નોનકોવીડ ૬૧ તથા કોવિડ નવ છે.

(12:58 pm IST)