Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કેશોદમાં પાણીના ભૂગર્ભ ટાંકામાં પડી જતા પ્રૌઢ મહિલાનું મોત

જીંદગીથી કંટાળી જઇ યુવાનનો આપઘાત

જૂનાગઢ, તા. ર : કેશોદની બરસાના સોસાયટીમાં રહેતા ભીનીબેન રામ ગઇકાલે બપોરે તેના ઘરના સાત ફૂટ ઉંડા પાણીના ભૂગર્ભ ટાંકામાં પડી ગયા હતા. જે અંગેની જાણ સાંજે થતાં તેમને પાણીના ટાંકામાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવેલ, પરંતુ તબીબે મહિલાને મૃત જાહેર કરતા ગમગીની પ્રસરી ગઇ હતી.

આપઘાત

જુનાગઢના ડેરવાણની સીમમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના કાળુભાઇ હેમરાજભાઇ (ઉ.વ.ર૧) એ જીંદગીથી કંટાળી જઇ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પોલીસ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)