Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

જસદણ: ભાજપ સ્નેહમિલનમાં 70 સરપંચો ભળ્યા હોવાની જાહેરાતનો સરપંચ અસો.એ આપ્યો રદિયો

બે-પાંચ સરપંચ સિવાયના અન્ય કોઈ જોડાયા નથી: અમારે ભાજપ કે કોંગ્રેસ સાથે લેવાદેવા નથી

 

જસદણ તાલુકા સેવાસદન ખાતે જસદણ-વીંછિયા તાલુકાના સરપંચો ભેગા થયા હતા. કારણ કે જસદણમાં ગત તા.22 નવેમ્બરના રોજ આટકોટ રોડ ઉપર ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું

કાર્યક્રમ દરમિયાન રાજકોટ જસદણ-વીંછિયા તાલુકાના 70 ગામના સરપંચ કુંવરજીભાઇ બાવળિયાને સમર્થન આપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે વિધિવત ભાજપના જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

જસદણ સરપંચ એસોસિએશનના પ્રમુખ સહિતના સરપંચોએ બે-પાંચ સરપંચ સિવાયના અન્ય કોઈ સરપંચ તેમાં જોડાયા નથી તેવો આક્ષેપ કરી ભાજપની જાહેરાતનો વિરોધ કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

અંગે જસદણ-વીંછિયા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને બાખલવડ ગામના સરપંચ ગોપાલભાઈ પલાળીયાએ જણાવ્યું હતું કે, અમારે ભાજપ કે કોંગ્રેસ એકેય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપના સ્નેહમિલનમાં 70 સરપંચો જોડાયા તેવી જાહેરાત કરવામાં આવી હતી પણ તેમાં કદાચ બે-પાંચ સરપંચ ગયા હશે તેમાં અમે કોઈ સરપંચો ગયા નથી

(11:24 pm IST)