Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

નરેન્દ્રભાઇ કાલે સુરેન્દ્રનગર - સોમવારે ભાવનગરમાં સભા ગજવશે

વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રવાસમાં જામનગર, રાજકોટ, જુનાગઢને પણ આવરી લેવાશે

રાજકોટ તા. ર :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ અને ત્રીજા તબકકામાં કાલે બપોરે સુરેન્દ્રનગર અને સાંજે રાજકોટમાં જાહેરસભા સંબોધશે.જયારે સોમવારે ભાવનગર, જુનાગઢ, જામનગરમાં જાહેરસભા સંબોધશે.કાલે બપોરે ૧ર વાગ્યે એમ. પી. શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જાહેરસભા સંબોધશે. ગુજરાત વિકાસ રેલીને સંબોધવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા હોય લોકોમાં ઉત્સાહ છવાયો છે. જયારે સાંજે ૭ વાગ્યે રાજકોટમાં નરેન્દ્રભાઇ સભા સંબોધશે. ત્યારબાદ સોમવારે ભાવનગર, જામનગર, જુનાગઢમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જાહેરસભા ગજવશે.

 

(11:48 am IST)