Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આંબલગઢ સ્વામી મંદિરે પાટોત્સવઃ શાકોત્સવ યોજાયો

માળીયા હાટીના : તાલુકાના આંબલગઢ ગામે સ્વામીનારાયણ મંદિરનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ હાથીજણ સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી, શ્રીજી સ્વામી, ગુરૂકુળના રાધા રામણ સ્વામી, શ્રીજી સ્વામી, અક્ષયગઢ કેશોદના જનકલ્યાણ સ્વામી સહિતના સત્સંગ મંડળે ભકતી રસ પીરસ્યો હતો. વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સવારે સમુહ મહાપુજા, અન્નકોટ દર્શન યોજાયા હતાં. સાંજે ૪ કલાકે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો આ તકે સ્વામીએ શાકોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. સાંજે સમસ્ત ગ્રામજનો ભકતો માટે સમુહ ભોજન યોજાયેલ જેમાં ર૦૦૦ જેટલા ભકતોએ લાભ લીધો હતો.

 

(10:14 am IST)