Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સરદાર જયંતિ નિમિતે આધાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ

જૂનાગઢ :  અખંડ ભારતના પ્રણેતા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫ મી જન્મજયંતિ નિમિતે આધાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી જૂનાગઢમાં તમામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે જૂનાગઢ ની વિવિધ સેવાકીય સંસ્થાઓના કાર્યકરો સાથે મળીને જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાના રવિ રૈયાણીની યાદીમાં જણાવાયું હતું.

(1:02 pm IST)