Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમરેલીમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું દિલીપભાઇ સંઘાણીના હસ્તે અનાવરણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫ મી જન્મ જયંતી નિમિત્ત્।ે સરદાર પટેલ ગ્રુપ દ્વારા અને અધ્યક્ષ શ્રી માન મનીષ સંદ્યાણી ના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી પાછળ , રામાણી નગરમાં આવેલ લોહ પુરૂષ સરદાર પાર્ક ખાતે સહકાર શિરોમણી અને ખેડૂત નેતા માન શ્રી દિલીપભાઈ સંદ્યાણી ના વરદ હસ્તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા અનાવરણ અને વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે અમરેલી મતવિસ્તારના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વનભાઈ સવલિયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા શ્રી વરુણ ભાઈ પટેલ,અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષાર જોષી, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દ્યનશ્યામ ભાઈ ત્રપસિયા,ખોડલ ધામ ના ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલિયા અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી અરુણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જયારે કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવી હતી. જયારે હાલમા ંજ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ નું દેહાંત થયું છે. જીવોને યાદ કરી અને મહેમાનો તેમજ ઉપસ્થિતિ લોકો દ્વારા શ્રદ્ઘાજંલી આપવામાં આવી હતી. ત્યાર બાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને  દિલીપભાઈ સંઘાણી અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરી ખુલ્લી મૂકવામાં આવી હતી જયારે આગળ અધ્યક્ષ શ્રી અને મહેમાનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું. જયારે સરદાર પટેલ ગ્રુપ ના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી દ્વારા મહેમાનોનું શબ્દો થી સ્વાગત કરવામાં આવેલ હતું.સરદાર પટેલ ગ્રુપ દ્વારા કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંદ્યાણી જેવો હાલમાંજ ૧૦ વધુ દેશો પ્રતિનિધિત્વ કરતી એ ગ્રી કલ્ચર અને કો ઓપરે ટિવ કમિટી ના ચેરમેન બનવા બદલ સરદાર પટેલ ગ્રુપ દ્વારા મોમેંટો અને સાલ ઓઢાડીને અભિનંદન પાઠવ્યા હતા. જયારે લોહ પુરૂષ સરદાર પટેલ પાર્ક ને પાયા માંથી ઊભો કરનારા સરદાર પટેલ ગ્રુપના સદસ્યો સંજય સોજીત્રા,કલ્પેશ કાછડીયા,વિનુભાઈ માધવ ડેરી, ભાવેશ રામાણી, હરિભાઈ દેસાઈ, સંજય રામાણી, પરષોત્ત્।મ ચોવટિયા, ભરત વાજા, વિપુલ પાનસુરીયા, મેહુલ રામાણી, નીરવ હાડા, ભૌતિક રામાણી, જયદીપ રામાણી અને કેશુભાઈ સોજીત્રા નું મહેમાનો દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં અમરેલી શહેર ના વિશ્વ હિન્દુ પરિષદ, મહારાણા પ્રતાપ બટાલિયન,દુર્ગા વાહિની, રોટરે કટ કલબ, લોક સંવાદ સંગઠન, સારહી યુથ કલબ અને એ.બી.વી.પીના હોદેદારો અને સદસ્યો તેમજ શહેરના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:59 pm IST)