Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જુનાગઢઃ ધુનડામાં શરદપૂનમની સાદાઇથી ઉજવણીઃ પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ

જુનાગઢ જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે વર્તમાન કોરોનાની મહામારીને લઇને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી અને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સ્પેશ્યલ ડીસ્ટન્સનુ પાલન કરી પૂ. જેન્તિરામબાપાના સત્સંગનો લાભ લેતા મુંબઇના ઉદ્યોગપતિ નરેશભાઇ ટોલીયા, નાગજીભાઇ ગજ્જર ગઢાતના રેવુભા પરમાર તેમજ ભીખુભાઇ ઝાલડીયા તથા બીપીનભાઇ આશરા, કિરણભાઇ મણીયાર, મુંબઇ સહિત સેવક તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(11:41 am IST)