Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઘાંટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે

પુ.પ્રેમભારતીજીના પુણ્યતિથિની ઉજવણી

પુ.ઇન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં સમાધિપૂજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.ર :  ગિર સોમનાથના કોડીનારનજીક આવેલ ઘાંટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ બ્રહ્મલીન મહંત શ્રી પ્રેમભારતીબાપુની આજરોજ શરદપુનમના દિવસે ૧૦મી વાર્ષિક પુણ્યતિથિ હોય સવારે મમહંત ઇન્દ્રભારતીજી મહારાજના સાનિધ્યમાં ઉજવણી થઇ હતી. રાત્રે સંતવાણીનો કાયક્રમ યોજાયો હતો. શાસ્ત્રોકત વિધિ સાથે પુ.ઇન્દ્રભારતીબાપુ દ્વારા તેમના ગુરૂદેવ પુ.પ્રેમભારતીબાપુની સમાધીનુ પુજન કરાયુ હતુ.

બપોરે મર્યાદીત સંખ્યામાં સંતો મહંતો અને સેવકોએ ભોજનપ્રસાદ લીધો હતો વર્તમાન  સમયમાં કોરોના મહામારીને લઇને પુ.પ્રેમભારતીબાપુની પુણ્યતિથીની સાદગીપુર્ણ ઉજવણી કરાઇ હતી અને સરકારની આ ગાઇડલાઇનનુ પાલન કરવામાં આવેલ હતુ.

(11:37 am IST)