Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

નાગરિક સમિતિ દ્વારા મુદ્દો ઉઠાવાયો

ખંભાળિયાના રસ્તાઓ સુધારવા, નવા બનાવવા રીપેરીંગ કરવા ૩૫૦ વેપારીઓની સહી સાથે આવેદનપત્ર

ખંભાળિયા તા.૨ : શહેરમાંથી નીકળતા ડાયવર્ઝન પ્રશ્નો અંગે તથા પોરબંદર રોડ પર નવો રોડ બનાવવા બાબતે નાગરીક સમિતિની રજૂઆતને સફળતા પછી નાગરીક સમિતિના ડો.પડીયા તથા ડો.તુષાર ગોસ્વામીની આગેવાની હેઠળ ૩૫૦ વેપારીઓએ સહીઓ કરીને પાલિકાને નવા રોડ બનાવવા, તુટેલા બિસ્માર રીપેરીંગ કરવા તથા સુધારણા કરવા માટે આવેદનપત્ર આપી તાકિદે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

નવાઇની વાત એ છે કે કામ સારૂ તથા ચોકકસ નિયમાનુસાર થાય તે માટે પાલિકાએ એક એજન્સી પણ રાખી છે છતા નબળા કામો થતા હોય એજન્સીના કર્મચારીને બાઇક પર બેસીને રસ્તો નિહાળવા નાગરીક સમિતિએ પડકાર ફેંકતા તે પાણીમાં બેસી ગયા હતા!

તાકિદે રસ્તા રીપેરીંગ થાય તથા જયા નવા બન્યા જ નથી ત્યા તુરંત બને તથા હાલ તહેવારો આવતા હોય ખાડા પુરવા તથા ધુળીયા રસ્તા બાબતે સુધારણાના કામો શરૂ કરવા માંગ કરાઇ છે.

(11:36 am IST)