Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

હળવદ ખાતે સામાજિક સદભાવના સમિતિ દ્વારા

રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિની ઉજવણી

 (દીપક જાની દ્વારા) હળવદ,તા.૨: સામાજિક સદભાવ સમિતિ - હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ સરસ્વતી શિશુ મંદિર - સાંસ્કૃતિક હોલમાં રામાયણના રચયિતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતીની ઉજવણીનું આયોજન ભકિતભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હળવદ નગરના સર્વે સમાજના અને સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા અને પૂજય સંતો મહંતો નું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું જેમાં ધ્રાંગધ્રા થી પરમ પુજય વિવેક સાગરજી મહારાજ અને હળવદના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત પરમ પૂજય દીપકદાસજી મહારાજએ સામાજિક સમરસતા અને મહર્ષિ વાલ્મિકીજીના જીવનના મહાત્મ્ય અંગે હાજર સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . સાથે જ હિન્દૂ સમાજમાં સમાનતા થકી જ રાષ્ટ્ર મજબૂત બનશે તે વાત સૌ ને કહી હતી અને દરેક નાગરિક 'મમ ભાવ,સમ ભાવ' સૂત્ર ને પોતાનો જીવન મંત્ર બનાવે તે માટે ખાસ આહવાન કર્યું હતું તેમજ હળવદના એડવોકેટ વી.કે.મકવાણા એ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં હળવદ ની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો અને અગ્રગણ્ય ડોકટરશ્રીઓ - વકીલશ્રીઓ અને વેપારી આગેવાનો જોડાયા હતા અને સહ વિશેષ વાલ્મિકી સમાજ ના જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા અને સામાજિક સમરસતા થકી જ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવા શુભ આસયથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ સામાજિક સદભાવ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(10:18 am IST)