Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

લાઠીના દહીથરા ખાતે સુતરીયા પરિવારના સૌજન્યની સેવા પ્રકલ્પો લોકાર્પણ કરાયા

દામનગર,તા.૨: લાઠી તાલુકા ના દહીંથરા ખાતે વિવિધ પ્રકલ્પોનો દહીંથરા ના ઉદારદીલ દાતા પરશોત્ત્।મભાઈ ગોવિદભાઈ સુતરિયા જનકભાઈ સુતરિયા .અરવિંદભાઈ સુતરિયા કનુભાઈ સુતરિયા દ્વારા નિર્માણ પ્રવેશદ્વાર પૂજય સ્વામી વિશ્વ વલ્લભદાસજી રૂસ્તમબાગ મંદિર ના સંતવૃંદ ના વરદહસ્તે કરાયું હતું તોરણીયાનું સુપ્રસિદ્ઘ રામામંડળ દ્વારા નકલંગ નેજાધારીનું આખ્યાન યોજાયું લાઠી તાલુકાના નાના એવા દહીંથરા ગામને નંદનવન બનાવવાના સંકલ્પ સાથે છગનભાઇ વાવીયા પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેળવણીના પિતામહ સરદાર ધામના પ્રણેતા ગગજીભાઈ સુતરિયા સહિત ના સંતો અને મહાનુભાવો એ વૃક્ષારોપણ કર્યું હતું

નેશનલ હાઇવે એશોના પ્રેસિડેન્ટ પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વાવીયા બંધુની ઉદારતા અને સુતરિયા પરિવારની સખાવતોએ દહીંથરા ગામે ઉતમોતમ સુવિધા ઓ માટે તત્પર રહેતા ઉદારદીલ દાતાઓની સ્વામી વિશ્વ વલ્લભદાસજી અને કેળવણીના પિતામહ  ગગજીભાઈ સુતરિયા દ્વારા વિશિષ્ટ બહુમાન કરાયું સદમાર્ગે સખાવતની સર્વત્ર સરાહના કરતા અનેકો મહાનુભાવોએ પરશોતમભાઈ ગોવિદભાઈ સુતરિયા .(પી શૈલેશ આંગડીયા)પરિવારની ઉદારતા એ નિર્માણ થયેલ વિવિધ પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ એવમ સત્કાર સમારોહમાં સખાવતી સુતરિયા પરિવાર અને વાવીયા પરિવારના વતન પ્રેમ અને ગામની ઉત્ત્।મોત્ત્।મ સુવિધાઓ માટે વકતાઓ અને સંતો દ્વારા સરાહના કરી હતી ગગજીભાઈ સુતરિયાએ રાષ્ટ્રીય ભાવના માટે યુવાનોમાં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું

સ્વામી વિશ્વ વલ્લભદાસજી એ યુવાનો ને સ્વચ્છાગ્રહી બનો નીરવ્યસની બનો નો સંદેશ આપ્યો હતો દહીંથરા પધારેલ સંતો નું ભવ્ય સામૈયા સાથે અશ્વ પર વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું.સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં ઉદારદીલ દાતાઓનું ભવ્ય બહુમાન કરાયું હતું

(11:54 am IST)