Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

વાંકાનેર પૂ.જલારામબાપાની મુર્તિનો હાથ કાપી નાખતા હાહાકાર

મહંત શ્રીરામકિશોરદાસજી મહારાજની મુર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યોઃ પ્રકાશ વાઢેરના કૃત્યથી રોષ

વાંકાનેર, તા.,રઃ વાંકાનેરમાં શ્રીફળેશ્વર મંદિરમાં આવેલ પૂ.સંતશ્રી જલારામબાપાના મંદિરમાં આજે સવારે પૂ.જલારામબાપાની મૂર્તિનો ડાબોહાથ એક શખ્સ પ્રકાશભાઇ વાઢેરે કાપી નાંખતા ખળભળાટ મચી ગયો છે.

આ શખ્સે મહંતશ્રી રામકિશોરદાસજી મહારાજશ્રીની મૂર્તિનો અંગુઠો કાપી નાંખ્યો હતો.

પૂ. જલારામ બાપાની (રર૦મી) જન્મ જયંતિ હોય અને આજે જ  પ્રકાશભાઇ જેવા માણસે પૂ. બાપાની મૂર્તિ ખંડિત કરતા પૂ. બાપાના ભકતજનોમાં હાહાકાર મચી ગયેલ છે. અત્રે વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

આ અંગે વાંકાનેરના પીએસઆઇ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે આ શખ્સ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. આ શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ શખ્સ તોડફોડ કરીને નાસી છુટતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આવતીકાલે પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી રાબેતા મુજબ ચાલુ જ છે પૂ. બાપાના ચરણ પાદુકાનું પૂજન થશે તેમ મંદિરના શ્રી પટેલ બાપૂએ ે જણાવેલ છે.

વાંકાનેરમાં મુર્તિમાં તોડફોડ કર્યા બાદ પ્રકાશ વાઢેરે શ્રીફળ પણ મુકયા

વાંકાનેર તા. રઃ વાંકાનેરના શ્રી ફળેશ્વર મંદિરે આજે પૂ. જલારામ બાપાની મુર્તિનો હાથ તોડી નાખ્યા બાદ મહંતશ્રીની આંગળી કાપી નાખનાર પ્રકાશ વાઢેર નામનો શખ્સ દરરોજ મંદિરે દર્શન કરવા પણ આવતો હતો.

પરંતુ આજે સવારે કયાં કારણોસર તેણે મુર્તિઓમાં તોડફોડ કરી તે અંગે તપાસ ચાલી રહી છે.

પ્રકાશ વાઢેર નામના શખ્સે તોડફોડ કર્યા બાદ મંદિરમાં શ્રીફળ પણ મુકયા હતા.

(4:11 pm IST)