Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

છેલ્લા 18 દિવસમાં 21 સિંહના મોત: વનવિભાગે જાહેર કર્યા આંકડા

ઝૂના નિષ્ણાંતોને જૂનાગઢ બોલાવાશે :અમેરિકાથી સિંહ માટે રસી મંગાવવામાં આવશે

 

અમરેલીના દલસાણીયા રેન્જમાં અત્યાર સુધી કુલ 21 સિંહના મોત થયા છે. 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુદી 11 સિંહના મોત થયા હતા. જયારે  20 થી 30 સપ્ટેમ્બર વચ્ચે 10 સિંહના મોત થયા છે. સિંહનો કુલ મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે

 વનવિભાગે કહ્યું કે, દેશભરમાંથી ઝૂના નિષ્ણાંતોને જૂનાગઢ બોલાવવામાં આવશે. અમેરિકાથી સિંહ માટે રસી મંગાવવામાં આવશે. અમરેલી જિલ્લાના દલખાણીયા અને જસાધાર રેન્જમાંથી 21 સિંહના મોત થયા છે 7 સિંહના મૃત જંગલમાંથી મળી આવ્યા હતા તેમ વનવિભાગે જણાવ્યું છે.

  સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુના મોકલવામાં આવ્યા છે. તેમાંથી ચાર સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. તા. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં 9 સિંહ બીમાર જોવા મળ્યા હતા.જયારે  5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડાયા છે. ચાર સિંહને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી

(9:51 pm IST)