Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

તળાજાના દિહોર ગામે વગર વરસાદે વિજળી ત્રાટકતા ૩ વર્ષની બાળાનું મોત

ભાવનગર તા.૨:  ભાવનગર જિલ્લાનાતળાજા ના દિહોર ગામે ટાણાં રોડપર રેહતા એક શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની દ્યરના આંગણે રમતી દીકરી પર વીજળી પડતા એ યમદૂત સાબિત થઈ હતી. વીજળીની પ્રચંડ શકિતએ બાળાને ભરખીલેતા મૃતદેહ ને તળાજા પી.એમ માટે લાવવામાં આવેલ.આ બનાવ ની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના દિહોર ગામના  શ્રમજીવી પરિવારના વિનુભાઈ ચીંથરભાઈ બારીયા ની દીકરી જાહલ ઉ.વ.૩ આજે  બપોરના આશરે ૨.૩૦ ના સુમારે દ્યરના આગણામાં રમતી હતી.વરસાદનો એક છાંટપણ નહતો.આસપાસ ના ગામડાઓમાં વરસદ હતોો એ સમયેમાં વીજળીનો જોરદાર કડાકા થયો.એ કડાકા સાથેજ વીજળી જાહલ પર ત્રાટકી હતી.તણસા ૧૦૮ ટિમ દ્વારા નિસ્તેજ બાળા ને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.જયાં બાળા ને મૃતજાહેર કરવામાં આવેલ હતી. બનાવના પગલે પૂર્વનગર સેવક અશોક સગર,વિજય ધાંધલિયા સહિતના સેવાભાવ સાથે ઓહોંચી ગયા હતા. દિહોર ગામના મંત્રીભાવિન ધાંધળીયા ને ઉપરી અધિકારી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ કેસ કાગળો ત્યાર કરવા દોડી આવ્યા હતા.  બનાવના પગલે અરેરાટી ફેલાઈગઈ હતી.

(12:02 pm IST)