Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન કેમ્પ યોજાયો

જસદણ : જસદણ-આટકોટ : જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન-જસદણ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે નાં માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભવનનાં પ્રમુખ ભીખાભાઇ ભીમજીભાઈ બાંભણિયા, ટ્રસ્ટી છગનભાઈ કાકડીયા, ભરતભાઈ એલ.છાયાણી, અરવિંદભાઈ તાગડીયા તેમજ લેઉવા પટેલ કમઙ્ખચારી મંડળના કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં માર્ગદર્શન માટે જસદણ ખાતે નવયુગ કલાસીસ નાં સંચાલક અલ્પેશભાઈ પીઢડીયા, નાયબ મામલતદાર વી.એલ.ધાનાણી, ભગિરથભાઈ કાછડીયા દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમનું સંચાલન ખેતીવાડી અધીકારી મહેસ શિરોયા દ્વારા કરવામાં આવેલા હતું. ભવનનાં પ્રેણતા દિનેશભાઈ બાંભણિયા, કમલેશભાઈ એમ. હિરપરા, ગજેન્દ્રભાઈ રામાણી, વલ્લભભાઈ ખાખરીયા, રમેશભાઈ જેશાણી, મહેસભાઈ સતાસિયા, મેહુલભાઈ પારખીયા દ્વારા કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી (આટકોટ), ધર્મેશ કલ્યાણી-જસદણ) 

(12:01 pm IST)