Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીની એમ.એમ સાયન્સ કોલેજ મુકામે સંસદસભ્યં મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં જ્ઞાનશક્તિ કાર્યક્રમ યોજાયો

મોરબી : ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તથા ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના  કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને મોરબીની  એમ.એમ સાયન્સ કોલેજ મોરબી મુકામે જ્ઞાનશક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 
આ કાર્યક્રમમાં  રાજકોટ ના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી  મોહનભાઈ કુંડાળિયા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન  પ્રદીપભાઈ વાળા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, આ કોલેજ સંસ્થાના પ્રમુખ, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા સાહેબ, મોરબી નગરપાલિકાના પ્રમુખ  કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તે વિસ્તારના તમામ નગરપાલિકાના સદસ્ય ભાઈઓ બહેનો, આ કોલેજના પ્રિન્સિપાલ  તેમજ એનસીસી કેડેટ ના અધિકારી  કોલેજના તમામ પ્રોફેસર સહિત રોકડ રકમ તથા નમો ટેબલેટના લાભાર્થી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. તેમ મોરબી જિલ્લા કિશાન મોરચાના  કોષાધ્યક્ષ કે. કે. પરમારની યાદીમાં જણાવાયુ છે

(9:26 am IST)