Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

તા,૨૫ થી ૨૭ દરમ્યાન અંજાર-રાજકોટ-અંજાર બસમાં પ્રવાસ કરનારાઓ સાવધાન- કોરોના કેસને પગલે સાવધાન

કંડકટરને કોરોના પોઝિટિવ આવતાં અંજાર એસટી ડેપો મેનેજરે કરી અપીલ

ભુજ : અંજાર એસટી ડેપોના કંડકટર અબુભખર સુલેમાન થેબા (ઉ.૫૪)ને તા/૧/૮ ના કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. જેને પગલે પ્રવાસી વર્ગ અને કર્મચારીઓમાં ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે. તે દરમ્યાન અંજાર એસટી ડેપોના મેનેજર એચ.આર. સામરાએ ખાસ જાહેર અપીલ જારી કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત કંડકટર અબુભખર સુલેમાન થેબાએ પોતાની છેલ્લી ફરજ તા/૨૫/૭/૨૦ થી ૨૭/૭/૨૦ દરમ્યાન અંજારથી રાજકોટ જવા માટે સવારે ૭ વાગ્યે ઉપડતી એસટી બસમાં અને રાજકોટથી બપોરે ૧ વાગ્યે અંજાર માટે ઉપડતી એસટી બસમાં બજાવી હતી. એટલે આ સમયગાળામાં જેમણે  અંજાર-રાજકોટ-અંજાર બસમાં મુસાફરી કરી હોય તેઓ સાવચેતી ખાતર સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ જાય અને સરકારશ્રીની કોવિડ ૧૯ અંગેની સુચનાનું ચુસ્ત પાલન કરે

(11:39 pm IST)