Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સરાગામે પશુઓને વહારે આવતા ગ્રામજનો

વઢવાણ સરાગામે નહિવત વરસાદ થતા સીમમા કયાય લીલો ધાસચારો રહયો નથી ત્યારે નધણીયાતા રખડતા ભટકતા પશુઓને ભુખને લીધે ટળવળવુ પડવુ પડે છે વરસાદની આગાહી બાદ પણ સરાગામે કોઈ નોંધપાત્ર વરસાદ થયેલ નથી છેલ્લા ત્રણ દિવસ થી સતત ઝરમરીયા વરસાદને કારણે ભુખથી ટળવળતા રખડતા ભટકતા અબોલ પશુઓને ગામ સમસ્ત આયોજન થકી વિવિધ વિસ્તારોમાં ઠંડીમા ભુખથી ટળવળતા પશુઓને લીલો ઘાસચારો નાખવામાં આવેલ હતો ગામના જગદીશભાઈ ચાણ્કયભાઈ લલીતભાઈ સહિત સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.

(10:03 am IST)