Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

માટેલ આઈશ્રી ખોડિયાર માતાજીનો શૃંગાર દર્શન

વાંકાનેર,તા.૨: વાંકાનેર તાલુકાના જગ વિખ્‍યાત યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર - માટેલધરા ખાતે તા, ૧ના શુક્રવારના રોજ અસાઢીબીજની ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવણી કરવામાં આવેલ હતી સવારે બાવન ગજની ધજારોહણવિધિ કરવામાં આવેલ તેમજ અસંખ્‍ય ભાવિક, ભક્‍તજનો દ્વારા ધજા ચડાવાય હતી તૅમજ માતાજીના નિજ મંદિરમા અનોખા ફૂલોનાં શણગાર દર્શન કરવામાં આવેલ તેમજ ક્‍લાત્‍મક ફૂલોની રંગોળી કરવામાં આવેલ હતી અસાઢી બીજના પાવન પર્વે દૂર દૂરથી માતાજીના ભક્‍તજનો માટેલધરા ખાતે માતાજીના દર્શનાથે પધારેલા હતા અને માતાજીના દર્શન કરીને અને માટેલધરાનુ પવિત્ર જળ લઈ ધન્‍યતા અનુભવેલ તેમજ માટેલ મંદિર દ્વારા ચાલતા ભોજનાલયમા હજારો ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો. ખોડિયાર માત કી જય ના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતુ આ ઉપરાંત અસાડી બીજની પૂર્વ સંધ્‍યાએ રાત્રીના ભવ્‍ય માતાજીના ડાકનો પોગ્રામ યોજાયેલ હતો જેમાં પ્રસિદ્ધ કલાકાર શ્રી યોગેશ બેડા રાવળદેવ, શ્રી જીતુભાઈ રાવળદેવ બેડલાવાળાએ રંગત જમાવેલ હતી માટેલધરા ખાતે અસાડી બીજની શ્રદ્ધા પૂર્વક ઉજવણી થયેલ હતી જે યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરાના મહંતશ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા તથા શ્રી વિશાલભાઈની યાદીમાં જણાવેલ છે.

(12:34 pm IST)