Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પોરબંદર,ગીર સોમનાથ અને મોરબી જિલ્લા ઈ - ચિંતન સત્ર

કૃષિ ક્ષેત્રમાં સુધારા અને ઉપલબ્ધિ.

આ પ્રશિક્ષણ સત્ર માં વક્તા તરીકે શ્રી જયંતિભાઈ કવાડીયા ~ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ અને પૂર્વ મંત્રી રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રશિક્ષણ સત્ર નું સંચાલન: શ્રી વિજયભાઈ થાનકી પ્રદેશ કા.સભ્ય ગુજરાત ભાજપ અને પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ પોરબંદર દ્વારા કરવામાં આવેલ.
આજે સવારે 10 વાગ્યે આરંભ થયેલ આ પ્રશિક્ષણ વર્ગમાં ત્રણે જિલ્લા ના અપેક્ષિત સિનિયર અગ્રણીઓ, પ્રભારીશ્રીઓ ઓ,હોદેદારો,સાંસદ,ધારાસભ્યો,સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ના ચૂંટાયેલા સભ્યો સહિત વિશેષ ઉપસ્થિતિ માં પોરબંદર જિલ્લા ભાજપ  પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડીયા,ગિરસોમનાથ ના જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહ પરમાર,અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથારીયા પોતાના જિલ્લાના કાર્યાલય થી (વર્ચ્યુલ) VIRCHUAL પોતપોતાના જિલ્લા ના અપેક્ષિત આગેવાનો સાથે આ પ્રશિક્ષણ સત્ર માં ઉપસ્થિત રહયા હતા.
માનનીય જયંતીભાઈ કવાડિયા એ કૃષિ લક્ષી આ વિષય નું ખૂબ ઊંડાણ પૂર્વક માહિતી સભર વક્તવ્ય આપેલ અને કાર્યકરો ને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપેલ.
સત્ર સંચાલક શ્રી વિજયભાઈ થાનકી એ પ્રશિક્ષણ વર્ગ ના વક્તા શ્રી અને તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ નો આ સત્ર ને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

(7:22 pm IST)