Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જેતપુરમાં યુવા બોર્ડદ્વારા પ્રતિમા સફાઇનો કાર્યક્રમ યોજાયોઃ જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા દર માસની ૧ તારીખે પ્રતિમા સફાઇનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય, જે અંતર્ગત ગઇકાલે શહેરના સરદાર ગાર્ડન ખાતે આવેલ શહીદ ભગતસિંહ તેમજ ભારત માતાની પ્રતિમાની સફાઇ કરી ફુલહારનો કાર્યક્રમ યોજેલ.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ પ્રતિમાને ફુલહાર કરેલ. આ પ્રસંગે કિશોરભચાઇ શાહ, પાલિકા પ્રમુખ સુરેશભાઇ શખરેલીયા, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇજાની, જેન્તીભાઇ રામોલીયા ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા બોર્ડના કયાડા વિજય ચૌહાણ, રસીકભાઇ બાટવીયા, કેતન ઓઝા સહિતના જહેમત ઉઠાવી હતી.

(12:53 pm IST)