Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સુરેન્દ્રનગરમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

વઢવાણ : હાલમાં કોરોનાની ત્રીજી લહેર નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીમાં રાઇટ ટુ એજયુકેશનના ફોર્મ ભરવા માટે આવકના દાખલાની જરૂર પડી રહી છે. ફકત સીટી મામલતદારમાં એક સિસ્ટમ ચાલુ હોવાના કારણે કલાકો સુધી લોકો લાઇનોમાં ઉભા રહે છે અને સુરેન્દ્રનગર પાલિકામાં આવેલા આરોગ્યકેન્દ્ર ઉપર કોરોનાની રસી આવી ગઇ પરંતુ સ્ટાફ ન આવતા લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડે છે. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:53 am IST)