Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જેલમાંથી પેરોલ ઉપર છૂટી નાસી છૂટેલ ગોંડલ ખૂન કેસના આરોપીને દબોચી લેવાયો

ગોંડલના જીતુ રૈયાણીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી જેલમાં ધકેલી દિધો

રાજકોટ તા. ર :.. ગોંડલના ખૂન કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને જેલમાંથી પેરોલ પર છૂટી નાસી છૂટેલ ગોંડલના શખ્સને રૂરલ પેરોલ ફર્લો સ્કેવોડે ઝડપી લીધો હતો.

જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી. એસ. આઇ. વી. એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે રાજકોટ જેલમાં ગોંડલના ખૂન કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને પેરોલ ઉપર છૂટી નાસી ગયેલ જીતુ બાબુભાઇ રૈયાણી રે. ગ્રીનપાર્ક જેતપુર રોડ ગોંડલને દબોચી લઇ રાજકોટ જેલમાં ધકેલી દિધો હતો.

આ કાર્યવાહીમાં પેરોલ ફર્લો સ્કવોડના હેડ કો. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાંધલ, કરસનભાઇ કલોદારા, પો. કો. મહેન્દ્રસિંહ સોલંકી, ડ્રા. એ. એસ. આઇ. રાયધનભાઇ ડાંગર, તથા ડ્રા. પો. કો. વિરમભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:50 am IST)