Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જેતપુરના નવાગઢમા કોરોનાથી એક વ્યક્તિનુ મોત : પુત્રને પિતાના અવસાનના સમાચાર પહેલાં સોશ્યલ મીડિયા માંથી મળ્યા ત્યારબાદ ડોક્ટર પાસેથી !!!

નવાગઢ:::જેતપુરના નવાગઢમા કોરોનાથી એક વ્યક્તિનુ મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પુત્રને પિતાના અવસાનના સમાચાર  પહેલાં સોશ્યલ મીડિયા માંથી મળ્યા હતા ત્યારબાદ ડોક્ટર પાસેથી મળ્યા હતા.

         પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર તાલુકાના નવાગઢમાં રહેતા ધીરુભાઈ પાદરીયાને કોરોના ના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

        જોકે આજે બપોરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને થોડા કલાકોમાં જ તેમનું અવસાન થયું હતું પિતાના અવસાનના સમાચાર તેમના  પુત્ર નિલેશભાઈ ને સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા ત્યારબાદ તેમનો પુત્ર ડોક્ટર પાસે જતા તેમણે આ વાતની જાણ કરી હતી.

(9:00 pm IST)