Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કથાકાર અનિલપ્રસાદ જોષી દ્વારા યોજાતો ગુરૂપૂર્ણિમા ઉત્સવ રદ

કોરોનાના નિયમો પાળવા અપીલઃ ફોનથી સંપર્ક શકય

રાજકોટઃ. મૂળ જસદણ પાસેના ઝુંડાળાના વતની અને વર્ષોથી રાજકોટ સ્થિત જાણીતા કથાકાર અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી દ્વારા દર વર્ષે રાજકોટમાં ધામધૂમથી યોજાતો ગુરૂપૂર્ણિમા ઉત્સવ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે બંધ રાખવામાં આવેલ છે. શાસ્ત્રીજીએ તમામ શિષ્યો, શુભેચ્છકો વગેરેને ઉત્તમ સ્વાસ્થ્ય જાળવી રાખવા સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તેમજ વારંવાર સાબુથી હાથ ધોવા માટે અપીલ કરી છે. શાસ્ત્રીજીને શુભેચ્છા પાઠવવા અને આશીર્વાદ મેળવવા ફોનથી (મો. ૯૯૧૩૫ ૩૦૦૪૭) સંપર્ક સાધી શકાય છે.

(11:41 am IST)