Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ત્રંબાના તલાટી મંત્રી પ્રતાપસિંહ ગોહિલને નિવૃતિ વિદાયમાન અપાયું

ત્રંબાના ગ્રામજનો અને પંચાયતના સભ્યો દ્વારા તલાટી મંત્રી પ્રતાપસિંહ ગોહિલને નિવૃતી વિદાયમાન આપવાનો સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં. સતત ૩૫ વર્ષથી પ્રતાપસિંહ ગોહિલે ત્રંબા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી છે. સરપંચ નિતીનભાઇ રૈયાણી, ઉપસરપંચ મનુભાઇ નશીત, માજી સરપંચ મનુભાઇ ત્રાપસીયા, મુળજીભાઇ ખુંટ, આર.કે. યુનિવર્સિટીના શિવલાલભાઇ રામાણી, ટ્રસ્ટી ભગવાનજીભાઇ, મુકેશભાઇ પી. મકવાણા, જી.એન. જાદવ સહિતના પણ હાજર રહ્યા હતાં.

(11:39 am IST)