Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ :જોલાપુરીનદીમાં નવા નીર: કોઝ-વે પાણીમાં ગરકાવ

ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં

અમરેલીના રાજુલાના બાબારીયાધાર ગામમાં ધોધમાર વરસાદ થયો. ખેરાળી, મેરિયાણા, ઉટીયા સહિતના ગામોમાં વરસાદ થયો છે. ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળીયા છે. જોલાપુરી નદીમાં નવા નીરની આવક થતા કોઝ-વે પાણીમાં જતો રહ્યો છે. જ્યારે પીપાવાવ પોર્ટમાં વરસાદ વરસ્યો હતો

  . ઉપરાંત સાજણવાવ, ડુંગર, રાભડા અને જિંજકા ગામમાં ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા. જ્યારે બીજી બાજુ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
(11:59 pm IST)