Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

વઢવાણના દેદાદરા ગામના SRP જવાનનું અકસ્માતમાં મોત

વઢવાણ, તા. ૨ :. તાલુકાના દેદાદરા ગામના અનિલકુમાર નાનજીભાઈ વાઘેલા (ઉ.વ. ૩૦) વડોદરા ખાતે એસઆરપીમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે કોઠારીયા પાસે મોટરકારના ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માતમા ઘાયલ અવસ્થામાં એસઆરપી જવાનનું મોત નિપજેલ હતું.

જ્યારે વઢવાણ પોલીસને જાણકારી મળતા વઢવાણ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને નિવેદનના આધારે ફરીયાદ નોંધી અને એસઆરપી જવાનના ડેડબોડીને વઢવાણ ખાતે પી.એમ. માટે મોકલી આપવામાં આવેલ. જ્યારે મૃતક અનિલને લગ્નજીવનમાં એક પુત્રી અને એક પુત્ર છે ત્યારે પરિવારમાં અકસ્માતની આ ઘટનામા માતા, પુત્રી, પુત્ર નોધારા બન્યા છે ત્યારે કોઠારીયા ગામમાં જવાનના મોતથી શોકની લાગણી છવાઈ જવા પામેલ છે.

(3:25 pm IST)