Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સોમનાથ શોપીંગ સેન્ટરમાં ગંદા-પાણી ભરાતા વેપારીઓને દુકાનો બંધ રાખવી પડી

વેરાવળ : પ્રભાસ પાટણ તા. ર :.. સોમનાથ શોપીંગ સેન્ટરના ૧૧૦ દુકાનદારો મુશ્કેલીમાં બે દિવસથી કામ ધંધા ઠપ છેલ્લા બે દિવસથી ગટરનું પાણી ઘુસી જવાની  શોપીંગમાં નદી જેવું વાતાવરણ છે તેમજ  ગંદા પાણી ભરાવાથી દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને ના છૂટકે દૂકાનો આજે બંધ રાખવી પડેલ છે. આ  પાણીની નિકાલ માટેની ગટરમાં કાંઇક ભરાવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી આ શહેરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આ સોમનાથ શોપીંગ સેન્ટરમાં ઘુસેલ છે. અને  આખુ શોપીંગ સેન્ટર ગંદા પાણીથી ભરાયેલ છે અને આ પાણી દુકાનોમાં જવાની તૈયારીમાં છે.

નિકાલ માટે સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલીકા દ્વારા બે દિવસથી પ્રયત્નો કરી રહેલ છે. પરંતુ તે હજુ સફળ થયેલ નથી અને આ શોપીંગ સેન્ટરનાં દુકાનદારો અને યાત્રીકો પરેશાન છે. (પ-૮)

 

(11:56 am IST)