Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

યાત્રાઘામ સોમનાથ મંદિરના દરિયા કિનારે મહાસફાઈ અભિયાન : 500 થી વધુ નગરજનો જોડાયા

સોમનાથ :યાત્રાઘામ સોમનાથ મંદિરના પાછળના ભાગે આવેલ વિશાળ લાંબા સમુદ્ર કિનારે ૫૦૦થી વઘુ નગરજનોએ મહાસફાઇ અભિયાન હાથ ઘરી પડકારરૂપ ગંદકી દુર કરી હતી પ્રથમવાર કહી શકાય એવા આ અભિયાનમાં શહેરની સંસ્થાઓ, પાલીકા અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સમુદ્ર કિનારેથી એકઠો કરાયેલ કચરાનો નિકાલ કરી વન વિભાગના સહયોગથી ૪૦૦ જેટલા શરુના છોડોનું વૃક્ષારોપણ કરી સ્વચ્છ શહેર હરીયાળુ શહેરના સુત્રને નગરજનોએ સાર્થક કર્યુ હતુ.

(10:13 pm IST)