Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કચ્છમાં કોરોનાથી વધુ એકનું મોત : ગાંધીધામના આધેડનો કોરોના પોઝિટિવથી ભોગ લેવાયો : ૬૦ વર્ષીય કે. નાગેશ્વર રાવ સુરતથી ગાંધીધામ આવ્યા હતા

ભુજ ::: કચ્છમાં કોરોના થી વધુ એકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 ગાંધીધામના આધેડનું આજે કોરોના પોઝિટિવથી  મોત થયું હતું ૬૦ વર્ષીય કે. નાગેશ્વર રાવ સુરતથી ગાંધીધામ આવ્યા હતા.  તેમ ડીડીઓ પ્રભવ જોશીએ જણાવ્યું હતું

કચ્છમાં ચાર મોત થયા (જેમાં રાપરની મહિલાનું મોત ગાયનેક પ્રોબ્લેમથી થયું હોવાનું તારણ) છે.

(11:43 pm IST)