Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જૂનાગઢ એસપી જાજડીયાએ ૩ પોલીસ કર્મીઓને નિવૃત વિદાયમાન

 જુનાગઢ : વય મર્યાદાને લીધે નિવૃત થતા પોલીસ કર્મીઓને એસ. પી. નિલેશ જાજડીયાએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી જૂનાગઢ એસઓજીમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હરસુખભાઇ ગઢીયા તેમજ એલસીબીમાં હે. કો.ફરજ બજાવતા માલાભાઇ પરમાર અને રિડર બ્રાન્ચમાં એ. એસ. આઇ. તરીકે ફરજ બજાવતા કેશુભાઇ રાઠોડ સહિત ત્રણેય પોલીસ કર્મીઓ વય મર્યાદાને લીધે નિવૃત થતાં એસ. પી. નિલેશ જાજડીયાએ મોમેન્ટો અને પુષ્પ ગુચ્છ આપી નિવૃતીની શુભેચ્છા પાઠવી હતી તેમજ એલસીબીના ઇન્ચ. પીઆઇ આર. કે. ગોહીલે શ્રીફળ અને સાકરનો પડો આપી શુભેચ્છા પાઠવી હતી. ઉપરોકત તસ્વીર તસ્વીરમાં ત્રણેય પોલીસ કર્મીઓને મોમેન્ટો આપી નિવૃતી શુભેચ્છા પાઠવતા એસ. પી. જાજડીયા તેમજ છેલ્લે હરસુખભાઇ પટેલને એસઓજી ના એએસઆઇ રાજુભાઇ વ્યાસ, રાજુ ઉપાધ્યાય, કિશોરભાઇ નિમાવત, મહેન્દ્ર કુવાડીયા, દિપક જાની, પુંજાભાઇ ભારાઇ, અનિરૂધ્ધસિંહ વાંક, પિયુષ ચાવડા, હરીશ પીઠીયા, સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(12:44 pm IST)