Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જેતપુરમાં પોરબંદરની ગેંગના આતંકને મિટાવી દેવા લોકો આગળ આવે : જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં મીટીંગ

રાજકોટ : શહેરના માલવીયાનગરમાં પી.ડી. માલવીયા કોલેજ પાછળ રહેતા વિજયભાઇ વાજસુરભાઇ વાળાની આગેવાનીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને આવેદન પત્ર પાઠવીને જેતપુરની જનતાને પોરબંદરના ગુંડાતત્વોના ત્રાસથી છોડાવીને ન્યાય આપવા માટે માંગણી કરી છે. આ અંગે વિજયભાઇ વાજસુરભાઇ વાળાએ જણાવ્યું છે કે, જેતપુરમાં પોરબંદરની ગેંગના આતંકને મિટાવી દેવા માટે લોકોએ આગળ આવવું જોઇએ અને આવા તત્વોને સજા મળે તે જરૂરી છે. આ અંગે આતંકથી ફફડી રહેલા વેપારીઓ , કારખાનેદારોની મીટીંગ રાજયમંત્રી જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં આ ગેંગ સામે પગલા ભરવા માંગણી કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:56 am IST)