Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

વ્હોરા ધર્મગુરૂ શ્રીલંકાની યાત્રા બાદ ભારત પરત ફર્યાઃ કાલે ગુજરાતમાં!!

જસદણ તા. રઃ દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ ''સૈફૂદીન'' સાહેબ (ત.ઉ.શ.) ઇરા કઅને શ્રીલંકાની ધર્મયાત્રા બાદ ગત રાત્રીના મુંબઇ તેમના નિવાસસ્થાને પરત ફર્યા બાદ તેઓ આવતીકાલ મુંબઇથી રેલ્વે દ્વારા અમદાવાદ અને ત્યાંથી હસનફિર સાહેબના મહેસાણા જીલ્લાના ચાણસ્માના દેલમાલ ખાતે આવેલ મઝાર મુબારક પર પધારશે ત્યાં એક અઠવાડીયાનું રોકાણ કરવાની વાતને લઇ સૌરાષ્ટ્ર ગુજરાતભરના વ્હોરા બિરાદરોમાં રૂહાની આનંદ છવાયો છે. પોતાના અનુયાયીઓ માટે સળંગ જગતભરના અનેક દેશોમાં ફરનારા ડો. સૈયદના સાહેબનો પડયો બોલ ઝીલાય છે. સમાજમાં લોકોને સુખ સલામતી સાથે દુનિયાભરનું શિક્ષણ પ્રાપ્ત થઇ પગભર બને તે માટે તેમની યાત્રાઓની નોંધ છે. ગુજરાતમાં ડો. સૈયદના સાહેબ પધારનારા હોવાથી રાજયના વ્હોરા બિરાદરોમાં રાજીપો છવાયો છે.

(12:54 pm IST)