Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વકફ બોર્ડના ચેરમેનનું સન્માન કરવા વ્હોરા સમાજ ઉમટયો

જસદણ તા. રઃ ગુજરાત રાજય વકફ બોર્ડના ચેરમેન તરીકે શેખ રાજજાદભાઇ હીરા સોમવારે ચુંટાઇ આવતા તેમણે મંગળવારે પોતાનું પદ સંભાળી લેતા ગાંધીનગર ખાતે તેમનું સન્માન કરવા રાજકોટ દાહોદ ગોધરા જેવા ગુજરાતના અનેક ગામોની દાઉદી વ્હોરા જુમાતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો ઉમટી પડયા હતાં.

રાજકોટ દિવાનપરામાં નિવાસસ્થાન ધરાવી યુવા અવસ્થાથી હજારો લોકોના સુખદુઃખમાં સહભાગી બનનારા સજજાદભાઇએ ભાજપ સાથે રહી પદો સંભાળી અનેકાએક લોકોના કામ કરી તેમના જીવનમાં અજવાળું પાથરનારા પબ્લીસીટીથી દુર રહી. લોકોના દિલમાં અનેરૂ સ્થાન શોભાવ્યું છે. વકફ બોર્ડ એવી કામગીરી કરે છે કે રાજયમાં જયાં મસ્જિદ, મદ્રેસા દરગાહ વગેરેનું સંચાલન કરવામાં આવે છે. શેખ રાજજાદભાઇએ ગાંધીનગર ઓફિસે ચાર્જ સંભાળ્યો હતો. (તસ્વીરઃ હુસામુદીન કપાસી-જસદણ)(૭.૧૯)

(12:03 pm IST)