Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

૩ મહિના પહેલા લગ્ન કરનાર કોળી દંપતિનો આપઘાત

પાલીતાણાના પીપરડી-૧ ગામમાં સજોડે જીવ દઈ દેતા અરેરાટી

ભાવનગર, તા. ૨ :. ભાવનગર જિલ્લાના પીપરડી ગામે ત્રણ મહિના પહેલા જ લગ્ન કરનાર પતિ-પત્નિએ આજે સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો.

આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી-૧ ગામે રહેતા અને હિરાના કારખાનામાં હિરા ઘસવાનું કામ કરતા યુવાન અજય અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૨૨) અને તેની પત્નિ રંજનબેન (ઉ.વ.૨૦) એ તેના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધી સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.

મરનાર રત્નકલાકાર યુવાનના હજુ ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. આજે કોઈ અગમ્ય કારણોસર પતિ-પત્નિ એ સાથે આપઘાત વહોરી લીધો હતો.

 આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૨.૩)

(12:01 pm IST)